Home ગુજરાત અંબાજી દાંતા માર્ગ વચ્ચે આવેલા ત્રિસુલીયા ઘાટી પર માર્બલના ખંડા ભરેલા ટ્રકનો...

અંબાજી દાંતા માર્ગ વચ્ચે આવેલા ત્રિસુલીયા ઘાટી પર માર્બલના ખંડા ભરેલા ટ્રકનો અકસ્માત

103
0

દાંતા તાલુકામાં અવર-નવર અકસ્માતો ની ઘટનાઓ બનતી હોય છે. તો દાંતા તાલુકામાં આવેલો મોટાભાગનો માર્ગ ઢલાન અને પહાડી વિસ્તાર હોવાના લીધે અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે. ગઈ રાત્રે અંબાજી દાંતા હાઇવે માર્ગ વચ્ચે ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. અંબાજી અને દાંતા માર્ગ પર આવેલા ત્રિસુલિયા ઘાટી પર ટ્રક પલટી મારતાં અકસ્માત સર્જાયો હતો.

અંબાજીથી માર્બલના ખંડા ભરીને રાધનપુર જતી વખતે અંબાજી દાંતા હાઇવે માર્ગ પર આવેલા ત્રિસુલીયા ઘાટી પર ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના ઘટનાની જાણ 108 ને થતા 108 ઘટના સ્થળે દોડી આવી હતી.

ત્યારે ઈમરજન્સી 108 મારફતે ડ્રાઇવરને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો સાથે સાથે દાંતા પોલીસને ઘટનાની જાણ થતા દાંતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તો અકસ્માતની પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here