Home અન્ય જાપાન પહોંચતા જ ગરજ્યા મોદી, ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા માટે પ્રતિબદ્ધ, ,...

જાપાન પહોંચતા જ ગરજ્યા મોદી, ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા માટે પ્રતિબદ્ધ, , હવે સંબંધો સુધારવાની જવાબદારી પાકિસ્તાનની :- મોદી 

250
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ય્-૭ સમિટમાં ભાગ લેવા જાપાન પહોંચ્યા હતાં. અહીં તેઓ હિરોશીમા પહોંચ્યા હતાં. અહીં પહોંચતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરજ્યા હતાં અને ચીન અને પાકિસ્તાનને આકરો સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. હવે સંબંધો સુધારવાની જવાબદારી પાકિસ્તાનની છે. ચીનને લઈને પણ પીએમ મોદીએ આકરૂ વલણ દાખવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને લઈને કહ્યું હતું કે, ચીન સાથે સારા સંબંધો માટે સરહદ પર શાંતિ જરૂરી છે. ચીન અને પાકિસ્તાન વિશે પીએમ મોદીનું આ નિવેદન ભારતની આક્રમક વિદેશ નીતિ દર્શાવે છે. જાપાનના હિરોશિમા પહોંચેલા પીએમ મોદી યુદ્ધનો સામનો કરી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે પણ મુલાકાત કરશે. એશિયા નિક્કીને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત પોતાની સાર્વભૌમત્વ અને ગરિમાની રક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર અને પ્રતિબદ્ધ છે. ચીન સાથેના સામાન્ય દ્વિપક્ષીય સંબંધો માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને શાંતિ જરૂરી છે. ભારત-ચીન સંબંધોનો ભાવિ વિકાસ માત્ર પરસ્પર આદર, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિતો પર આધારિત હોઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સંબંધો સામાન્ય થવાથી વ્યાપક ક્ષેત્ર અને વિશ્વને ફાયદો થશે. પાકિસ્તાન અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, પાકિસ્તાન માટે આતંકવાદ અને દુશ્મનાવટ મુક્ત વાતાવરણનું નિર્માણ કરવું જરૂરી છે. આ અંગે જરૂરી પગલાં ભરવાની જવાબદારી હવે પાકિસ્તાનની છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, તેઓ ય્-૭ સમિટમાં ગ્લોબલ સાઉથનો અવાજ બનશે અને તેમની ચિંતાઓ ઉઠાવશે. ગ્લોબલ સાઉથ એ એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના વિકાસશીલ દેશોનું અનૌપચારિક જૂથ છે. આ જૂથમાં ભારત સૌથી શક્તિશાળી દેશ છે. તેમણે કહ્યું હતું કે, તેઓ ઊર્જા, ડિજિટલ ટેક્નોલોજી અને સપ્લાય ચેઇન જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક ફેરફારો અને પડકારો અંગે ચર્ચા કરવા આતુર છે. હું આ પડકારોનો સામનો કરવા માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે ભારતની ભૂમિકા પર ભાર આપીશ. ભારતનો અનુભવ ય્-૭ બેઠકમાં મજબૂત રીતે પડઘો પાડશે. ભારત ય્-૭નું સભ્ય નથી, છતાં ય્-૭ના યજમાન અને જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ ભારતને આમંત્રણ આપ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતની મધ્યસ્થી ભૂમિકા અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, યુક્રેન વિવાદ પર તેમના દેશની સ્થિતિ સ્પષ્ટ અને અટલ છે. તેમણે કહ્યું હતું કે, ભારત શાંતિના પક્ષમાં છે અને મજબૂતીથી રહેશે. ખાસ કરીને ખોરાક, ઈંધણ અને ખાતરની વધતી કિંમતોને કારણે તેમની પાયાની જરૂરિયાતોને પહોંચી વળવામાં પડકારોનો સામનો કરી રહેલા લોકોને મદદ કરવા અમે પ્રતિબદ્ધ છીએ. પીએમ મોદીએ કહ્યું હતું કે, અમે રશિયા અને યુક્રેન બંને સાથે વાતચીત જાળવી રાખી છે. આપણે સમય સંઘર્ષથી નહીં, સહકારથી પરિભાષિત કરવો જાેઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here