દાહોદ જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક જાેવા મળ્યો છે. જિલ્લામાં બેફામ બનેલા બૂટલેગરોએ હવે પોલીસ પર હુમલો કર્યો છે. દાહોદના સાગટાળામાં રોડ પર ૧૫ જેટલા બૂટલેગરોએ અચાનક પોલીસ વાન પર હુમલો કરી દીધો અને પોલીસ વાનને સગળાવીને ભાગી છૂટ્યા હતા. પોલીસે ગુના નોંધીને તપાસ હાથ ધરી છે. માહિતી પ્રમાણે, દાહોદમાં પોલીસ ટીમ જ્યારે ગાડી લઇને પેટ્રૉલિંગમાં નીકળી હતી તે દરમિયાન દારુ ભરેલી ગાડીને રોકતા માથાકૂટ થઇ હતી. બૂટલેગરોની દારુ ભરેલી ગાડીને પોલીસે રોકતાં બૂટલેગરો ગુસ્સે ભરાય હતા, અને ૧૫ જેટલો લોકો મૉટર સાયકલ પર આવીને પોલીસની ગાડીને સળગાવી દીધી હતી. આ ઘટના સાગટાળાના કાળીયાકુવા રૉડ ઉપર બની હતી. અહીં ૧૫ જેટલા લોકો મૉટર સાયકલ પર હથિયારો લઇને આવ્યા હતા, અને દારૂની ભરેલી ગાડી રોકવા જતી પોલીસની પેટ્રૉલિંગ ટીમની ગાડીને સળગાવી દીધી હતી. આ દરમિયાન બૂટલેગરોઓ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ પણ ફાયરીંગ કર્યુ હતુ, જાેકે, અંતે આ ૧૫ બૂટલેગરો ભાગી છૂટ્યા હતા. પોલીસે આ તમામ બૂટલેગરો પર ગુનો નોંધ્યો હતો, અને અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી દીધી છે. આમાં મધ્યપ્રદેશના અલીરાજપુર, કઠીવાડા અને ગુજરાતના નાની વડોઈના બૂટલેગરો સામેલ છે.






