Home અન્ય નિકોબાર ટાપુઓમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર ૫.૩ની તીવ્રતા

નિકોબાર ટાપુઓમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર ૫.૩ની તીવ્રતા

97
0

રવિવારે બપોરે ૨.૫૯ કલાકે આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભૂકંપના જાેરદાર આંચકા (આંદમાન-નિકોબાર ટાપુઓ) અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ હતી. આ પછી, વધુ એક વખત ભૂકંપના આંચકા આવ્યા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૩ હતી. ભૂકંપના આ આંચકા બે વખત અનુભવાયા હતા, જેના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. જાેકે, ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. તેનું કેન્દ્ર લગભગ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ માપવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, બીજી વખત સાંજે લગભગ ૪ વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા અગાઉના ભૂકંપ કરતાં ઘણી વધુ ઝડપી હતી. બીજા ભૂકંપની તીવ્રતા ૫.૩ હતી. સતત બે વખત જાેરદાર આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ છે. આના થોડા દિવસો પહેલા આંદમાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ૬ એપ્રિલે આવેલા ભૂકંપની તીવ્રતા ૪.૬ હતી. તેનું કેન્દ્ર પોર્ટ બ્લેરથી ૧૪૦ કિમી ઉત્તરપૂર્વ અને પૂર્વ દિશા વચ્ચે હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here