Home ગુજરાત દામનગર નજીક શ્વાનના ટોળાએ હુમલો કરતાં ૩ વર્ષના બાળકનું મોત

દામનગર નજીક શ્વાનના ટોળાએ હુમલો કરતાં ૩ વર્ષના બાળકનું મોત

95
0

રાજ્યમાં રખડતા આખલા બાદ હવે શ્વાનનો ત્રાસ ચિંતાજનક હદે વધી ગયો છે. રસ્તે રખડતા શ્વાન પહેલા રાહદારીઓ કે ટુ-વ્હીલર ચાલકોની પાછળ દોડીને પરેશાન કરતા હોય છે, શ્વાનના આતંકની એક ઘટના અમરેલીમાં જાેવા મળે છે. અમરેલીમાં શ્વાનના હુમલાથી ૩ વર્ષના બાળકનું મોત નિપજ્યુ છે. ગઈકાલે રાત્રે અમરેલીના દામનગર નજીક વાડીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમજીવીના ૩ વર્ષના બાળકને શ્વાનના ટોળાએ ફાડી ખાધુ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર છોટાઉદેપુરના થાંભલા ગામના શ્રમજીવી પરિવાર હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ અગાઉ સુરતમાં શ્વાન કરડવાની અનેક ઘટના સામે આવી હતી. સુરતના ખજાેદ વિસ્તારની બાળકી પર રખડતા શ્વાન તૂટી પડ્યા હતા. શ્વાને એક બાદ એક ૧૦-૧૫ નહીં પરંતુ ૪૦ બચકા ભરીને તેને અધમુઈ કરી નાખી હતી. જાેકે ત્રણ દિવસ સુધી જીવનનો જંગ લડતી આ માસૂમનું આખરે મૃત્યુ થયું હતુ. તબીબોની એક ટીમ દિવસ રાત બાળકીની સારવારમાં જાેડાયેલી રહી હતી. પરંતુ બાળકીના જીવને બચાવવાના તમામ પ્રયાસો અપૂરતા સાબિત થયા અને તબીબોને પણ હાથ માત્ર નિરાશા લાગી. આ અગાઉ મહેસાણા ટી.બી રોડ પર આવેલ સ્નેહકુંજ સોસાયટીમાં બની હતી. પોતાના ઘર આગળ રમતી એક નવ વર્ષની બાળકીને કૂતરાને ટચલી આંગળીએ બચકુ ભરી લેતાં ગંભીર ઇજાથી લોહી નિકળવા લાગ્યુ હતુ. બાળકીના પિતા નોકરી અર્થે બહાર ગયા હતા. જેથી પાડોશીએ તાત્કાલી ધોરણે બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા,જ્યાં ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here