Home દેશ સંજય રાઉતના સબંધીને ત્યાં ઈડ્ઢના દરોડા , ૧૦૦ કરોડથી વધુના કૌભાંડનો છે...

સંજય રાઉતના સબંધીને ત્યાં ઈડ્ઢના દરોડા , ૧૦૦ કરોડથી વધુના કૌભાંડનો છે આરોપ

159
0

ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતના નજીકના સુજીત પાટકરના ૧૦ સ્થળો પર ઈડ્ઢની ટીમે દરોડા પાડ્યા છે. કોરોનાના સમયગાળા દરમિયાન બીજેપી નેતા કિરીટ સોમૈયાએ લાઈફ લાઈન હોસ્પિટલ મેનેજમેન્ટ કંપની પર ૧૦૦ કરોડથી વધુના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. આજે ઈડ્ઢએ આ જ સંદર્ભે દરોડા પાડ્યા છે. આ સિવાય કોવિડ સમયગાળા દરમિયાન મ્સ્ઝ્રના એડિશનલ કમિશનર રહેલા ૈંછજી સંજીવ જયસ્વાલના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આદિત્ય ઠાકરેના નજીકના સૂરજ ચવ્હાણના ઘરે પણ ઈડ્ઢના દરોડા પડ્યા છે. સૂરજ ચવ્હાણ શિવસેના યુબીટીના સેક્રેટરી છે અને આદિત્ય ઠાકરેની ખૂબ નજીક હોવાનું પણ માનવામાં આવે છે. અત્યાર સુધીમાં ઈડ્ઢની ટીમે ૧૫ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે. ઈડ્ઢ એ મ્સ્ઝ્રના વરિષ્ઠ અધિકારીઓ, સપ્લાયર્સ, શહેરમાં કોવિડ-સંબંધિત સેવાઓ શરૂ કરવામાં મદદ કરનાર સર્વિસ કોન્ટ્રાક્ટરો અને કૌભાંડમાં અન્ય સાથીદારો સામે કાર્યવાહી કરી છે. કોવિડ યુગ દરમિયાન, સુજિત પાટકરની લાઇફલાઇન હોસ્પિટલ મેનેજમેન્ટ કંપની સેવાઓ સંબંધિત કૌભાંડની અગાઉ આર્થિક ગુના શાખા દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. હવે ઈડ્ઢએ કાર્યવાહી કરી છે. કોવિડ યુગ દરમિયાન તબીબી સેવાઓ પૂરી પાડવાના નામે કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવતા ભાજપના નેતા કિરીટ સોમૈયાએ મુંબઈના આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી, ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં કેસ નોંધીને સુજીત પાટકરના કૌભાંડની તપાસ શરૂ કરી. આ પછી આજે સવારે ૮ વાગ્યાની આસપાસ ઈડ્ઢના છ-સાત અધિકારીઓ સુજીત પાટકર સાથે સંબંધિત અલગ-અલગ સ્થળોએ પહોંચ્યા અને દરોડા શરૂ કર્યા.સજંય રાઉતના સબંધી પહેલા પહેલા ઈડ્ઢ મ્સ્ઝ્ર કમિશનર ઈકબાલ સિંહ ચહલની પણ પૂછપરછ કરી ચૂકી છે. જે દરોડો પણ કોવિડ સમયગાળા દરમિયાન કોન્ટ્રાક્ટ આપવા સંબંધિત કૌભાંડને લઈને કરવામાં આવ્યો છે.  જેમાં મ્સ્ઝ્ર એડિશનલ કમિશનર સંજીવ જયસ્વાલ અને રાજીવ સાલુંખે, હેમંત ગુપ્તા, સંજય શાહ જેવા અધિકારીઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા છે. જે જગ્યાએ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બહારથી કોઈને બહાર જવાની કે અંદર આવવાની છૂટ નથી. ફોન પર વાત કરવાની પણ મંજૂરી નથી. મ્સ્ઝ્ર ચૂંટણી નજીક, ઈડ્ઢની આ મોટી કાર્યવાહીથી મુંબઈમાં ખળભળાટ મચી ગયો છે. આદિત્ય ઠાકરેના નજીકના સૂરજ ચવ્હાણના ઘરે પણ ઈડ્ઢના દરોડા શરૂ થયા છે. વિવિધ ચૂંટણીઓમાં ઠાકરે જૂથ માટે પડદા પાછળ ચૂંટણી સમીકરણ તૈયાર કરવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવે છે. આગામી મ્સ્ઝ્ર ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મુંબઈમાં કોરોના સમયગાળા દરમિયાન ઘણા કોવિડ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા. સુજીત પાટકર પર એવો આરોપ છે કે તેણે રાતોરાત કંપની ઉભી કરી. નિયમોની વિરુદ્ધ જઈને મ્સ્ઝ્રએ તેને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જ્યારે તેને આ કામનો કોઈ અનુભવ નહોતો. કિરીટ સોમૈયાનો આરોપ છે કે આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે સુજીત પાટકર સંજય રાઉતના બિઝનેસ પાર્ટનર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here