કચ્છના ગાંધીધામમાં બે વર્ષના બાળકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. બાવળની ઝાડીઓમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. કપાળ પર ઇજાના નિશાન મળી આવ્યા છે. ઘર પાસે રમતા રમતા બાળક ગુમ થયો હતો. જે બાદ બે કલાકમાં જ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ગાંધીધામના ભકિતનગરમાં રહેતા બિહારી પરિવારના બાળકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બાળક ગુમ થયાના બે કલાકમાં જ મૃતદેહ બાવળની ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
