Home ગુજરાત તાપીના મીંઢોળા નદી પરનો પૂલ તુટી પડતા ૧૫ જેટલા ગામોને અસર, લોકાર્પણ...

તાપીના મીંઢોળા નદી પરનો પૂલ તુટી પડતા ૧૫ જેટલા ગામોને અસર, લોકાર્પણ પૂર્વે જ પુલ તૂટી પડતા લોકોમાં ચર્ચા

134
0

તાપીના મીંઢોળા નદી પરનો પુલ લોકાર્પણ પૂર્વે જ તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. વ્યારાના માયપુર અને દેગામાં ગામને જાેડતો પુલ ધરાશાયી થઇ ગયો છે. લોકાર્પણ પૂર્વે જ પુલ તૂટી પડતા લોકોમાં ચર્ચા જાગી છે. પૂલ તુટી પડતા ૧૫ જેટલા ગામોને અસર થઇ છે. સાથે જ પુલની ગુણવત્તાને લઇને પણ સવાલ ઊભા થઇ રહ્યા છે.તાપી જિલ્લામાં વર્ષ ૨૦૨૧માં પૂલનું કામ આશરે બે કરોડ રુપિયાના ખર્ચે શરૂ કરાયુ હતુ. જાે કે આજે વહેલી સવારે જ આ વ્યારાના માયપુર અને દેગામાં ગામને જાેડતો પુલ ધરાશાયી થઇ ગયો છે. વહેલી સવારે પૂલ તૂટી પડ્યો હતો. જાે કે કોઈ જાનહાની થઇ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here